Wednesday, December 21, 2011

મૌન ભાષાની લિપી વાંચે જ છે,
વણ કહ્યે તે કૈંક તો બોલે જ છે.

આંખને અંધાપો આવે પણ બને,
બંધ આંખે દેખતા દેખે જ છે.

આપ અંદર ડૂબકી દઈ નિકળી
વાત સાચી જે કહી તે છે જ છે.

ભેદ હો કે ભરમ જે ઘુંટાય છે,
છેકવા ધરે જ તે છેકે જ છે.

ફરફરી વંટોળમાં વિધરાય જે,
દેહ તો નવસંસ્કરણ પામે જ છે.

શ્વાસમાં વિશ્વાસ હોવો જોઈએ,
આતમા તે ઊજળો રાખે જ છે.

-મનોજ શુક્લ.

No comments:

Post a Comment